બનાસકાંઠા જીલ્લાની ગૌશાળાની ગાયો મુખ્ય માર્ગો ઉપર છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો

બનાસકાંઠા,

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લાની ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોમાં સરકાર પ્રત્યે ભારે નારાજગી જોવા મળી રહી છે. આ તરફ આજે ડીસાની ટેટોડા, માલગઢ, કાંટ, ભાભર, થરા, દિયોદર અને થરાદ તાલુકાની ગૌશાળાના પશુઓને આજે મુખ્ય માર્ગો ઉપર છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં અમુક જગ્યાએ પશુઓને માર્ગ ઉપર છોડી પણ દેવામાં આવ્યા હતા. તો અમુક જગ્યાએ પોલીસ અને સ્થાનિક આગેવાનોની સમજાવટને અંતે ગાયોને પરત ગૌશાળામાં લઇ જવાઇ હોવાનું સામે આવ્યુ છે.

રિપોર્ટર : મનુ સોલંકી, બનાસકાંઠા

Related posts

Leave a Comment