સુરત ખાતે ‘જાયન્ટ્સ ગૃપ ઓફ ગ્રેટર સુરત’ તેમજ ‘ખ્વાજાદાણા વેલ્ફેર ફાઉનડેશન’ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન

સુરત, 

        સુરત ખાતે ‘જાયન્ટ્સ ગૃપ ઓફ ગ્રેટર તેમજ ‘ખ્વાજાદાણા વેલ્ફેર ફાઉનડેશન’ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે આજરોજ મેઘા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૦ થી (એક સો) વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ માં ‘જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન’ ના સ્પેશિયલ કમિટી મેમ્બર જાયન્ટ્સ અનિલભાઇ દલાલ, બ્રાન્ય ૩એના ડાયરેક્ટર જાયન્ટ્સ શીલાબેન ગાંધી, ગૃપના પૂર્વ પ્રમુખ જાયન્ટ્સ મહેશભાઇ ગાંધી, ખ્વાજાદાણા ટ્રસ્ટ ના પ્રમુખ આસીફભાઇ યિડીમાર, અસ્ફાકભાઇ તેમજ ગૃપોનાં મોટી સંખ્યા માં હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા.

કોરોનાની આ મહામારીમાં પ્લાઝ્મા (જીવદ્ર્વ્ય)ની ખુબ જ જરૂરિયાત છે તે સંજોગોમાં આવા મેધા રક્તદાન શિબિરનું આયોજન કરવા બદલ બંન્ને ગૃપોનાં પ્રમુખ તેમજ સભ્યો ને ખુબખુબ અભિનંદન.

 

રિપોર્ટર : હીના ભટ્ટ, સુરત 

 

Related posts

Leave a Comment