સતત પડી રહેલા ભારે વરસાદ ના કારણે નીચાણવાળા વિસ્તાર માં પાણી ભરાયા

દિયોદર,

રાજ્ય ની સાથે બનાસકાંઠા જિલ્લા માં કેટલાક દિવસ થી ભારે વરસાદ ના કારણે મુખ્યત્વે ખેતી ના પાક માં નુકશાન આવવાની શક્યતા દેખાઈ રહી છે આજે જિલ્લા ના વિવિધ વિસ્તાર માં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં દિયોદર પથક તેમજ ગ્રામીણ વિસ્તારોમાં માં પણ સોમવારે વહેલી સવાર થી ક્યાંક ભારે તો ક્યાંક ધીમીધારે મેઘરાજાનું આગમન થયું હતું. જેમાં દિયોદર પથક માં અનેક નીચાણવાળા વિસ્તાર માં પાણી ભરાયા હતા જો કે ગ્રામીણ વિસ્તાર ની વાત કરીએ તો ભારે વરસાદ ના કારણે કપાસ , એરંડા, બાજરી , મગફળી, ગવાર જેવા ઉભા પાક માં પાણી ફરી વળતા ખેડૂતો ને નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. આ બાબતે ખેડૂત એ જણાવેલ કે અતિ ભારે વરસાદ ના કારણે ખેતરો માં પાણી ભરાઈ ગયા છે.

જેમાં ખેતી ના પાક માં નુકશાન આવ્યું છે ચાલુ ચોમાસા દરમિયાન વધારે વરસાદ વરસ્યો છે. જેમાં નવા , વખા, સુરાણા , દેલવાડા જેવા અનેક ગામો માં કપાસ, એરંડા બાજરી અને મગફળી ના પાક માં નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. દિયોદર ગ્રામીણ વિસ્તાર માં અનેક ખેડૂતો દાડમ ની ખેતી તરફ વળ્યા છે અને દર વર્ષે દાડમ ની ખેતી કરી આવક મેળવતા હોય છે.

પરંતુ વર્તમાન સમય દાડમ ની ખેતી ની આછા નિરાશા બની છે. જેમાં સતત પડી રહેલા વરસાદ અને ભેજવાળા વાતાવરણ ના કારણે નાના નાના ફળ માં ફાયટોપથોરા ટપકી તેમજ પ્લગ જેવા રોગો આવતા ખેડૂતો ને આ વર્ષે આર્થિક નુકશાન થવાની ચિંતા સતાવી રહી છે.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment