સુરત નાં અલથાણ ગામ માં વૃધ્ધ પિતાની હત્યા કરી પલાયન થયેલો પુત્ર….

સુરત,.

સુરત નાં અલથાણ ગામ માં વૃધ્ધ પિતાની હત્યા કરી પલાયન થયેલો પુત્ર ને પસ્તાવો થતા પ્રયાગરાજ જઇ મુંડન કરાવી ગંગા સ્નાન કર્યુ.
સુરતના અલથાણ વિસ્તારમાં થોડા દિવસો પહેલાં પૌત્રને ઠપકો આપનાર દીકરાને વૃદ્ધ પિતાએ ખખડાવતા સંજય અગ્રવાલે પોતે જ પોતાના પિતાની હત્યા કરી નાંખી હતી. આખરે 14 દિવસ થી પલાયન થયેલો સંજય ખટોદરા પોલીસે ભીલવાડાથી દબોચી લઈ ધરપકડ કરી હતી. સુરતમાં થોડા દિવસો પહેલાં એક નરાધમ દીકરાએ આવેશમાં આવી અને સગા બાપની હત્યા કરી નાખી હોવાનો બનાવ સામે આવ્યો હતો. જેમાં પોતાના પુત્રના અભ્યાસ અંગે દાદા તરીકે ઠપકો આપતા ઉશ્કેરાયેલા સંજય અગ્રવાલે પિતા મોહન અગ્રવાલને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી નાંખી હતી. હત્યા કર્યા બાદ સંજય અગ્રવાલ ફરાર થઈ ગયો હતો. જોકે, ખટોદરા પોલીસે સંજય અગ્રવાલની ધરપકડ કરતા સમગ્ર મામલે ખુલાયો થયો હતો. જેમાં પિતાની હત્યા કર્યા બાદ સંજયને પસ્તાવો થતા તેણે ગંગા સ્નાન કર્યુ હતું અને પ્રયાગરાજમાં જઈને ક્રિયાકર્મ કરાવી મુંડન પણ કરાવ્યું હતું , પોલીસ આગળ ની કાયૅવાહી કરી રહી હતી.

રિપોટૅર : રીયાઝ મેમણ, સુરત

Related posts

Leave a Comment