ભલાસરાથી કમાળીને જોડતા રસ્તા પર પાણી ભરાતા સમારકામ હાથ ધરાયું

થરાદ, હિન્દ ન્યૂઝ 

વર્તમાનમાં કોરોનાની મહામારી વચ્ચે ચોમાસાની ઋતુ ચાલી રહી હોઈ સતત મેઘ મહેરને કારણે રોડ રસ્તા પર પાણીના ડેમ ભરાતા રસ્તા પર તળાવ જેવી સ્થિતિ સર્જાય છે, ત્યારે થરાદ તાલુકાના ભલાસરાથી કમાળીને જોડતા રસ્તા પર સતત થરાદ પંથકમાં વરસાદને કારણે પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે રાહદારીઓ પરેશાની ભોગવતા આખરે રસ્તાના કોન્ટ્રાક્ટર દ્વારા રસ્તા પર સમારકામ હાથ ધરી રસ્તા પર પાણી ભરાવાની રહેતી સમસ્યાનો નિવેડો લાવવા કામગીરી હાથ ધરાતા રાહદારીઓમાં ખુશી વ્યાપી ગઈ હતી.

રિપોર્ટ : અતુલ ત્રિવેદી, થરાદ

Related posts

Leave a Comment