આસ્થાની સાથે આત્મનિર્ભરતાની જ્યોત બન્યું યાત્રાધામ સતાધાર

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

જૂનાગઢના સુપ્રસિદ્ધ યાત્રાધામ સતાધારમાં 10 હજાર યાત્રાળુઓનું ભોજન તૈયાર કરવાની ક્ષમતા ધરાવતો વિશાળ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત; 1000 ગાયોના છાણનો ઉપયોગ કરી 85 ઘનમીટર પ્રતિદિવસની ક્ષમતા ધરાવતા ચાર બાયોગેસ પ્લાન્ટ ધરાવતું સતાધાર ધામ વૈકલ્પિક ઊર્જા ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ અને આત્મનિર્ભરતાનું શ્રેષ્ઠ પ્રતીક બન્યું.

છેલ્લા પાંચ વર્ષોમાં રાજ્યમાં કુલ 193 સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા; આ તમામ પ્લાન્ટની કૂલ ક્ષમતા 13,955 ઘનમીટર પ્રતિ દિવસ છે અને ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા સંસ્થાઓને સબસિડી આપવામાં આવે છે.

આગામી વર્ષ 2025-26 માટે સંસ્થાકીય બાયોગેસ યોજના અંતર્ગત કુલ ₹12.0 કરોડની જોગવાઈ હેઠળ અંદાજે 60 બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત કરવાનું આયોજન.

Related posts

Leave a Comment