હિન્દ ન્યુઝ, નર્મદા
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મહાત્મા ગાંધી ગ્રામ અભ્યાસ વિભાગ દ્વારા ‘જનજાતીય અધ્યયનની શોધ પદ્ધતિ અને અભ્યાસક્રમ વિકાસ’ વિષય પર બે દિવસીય નેશનલ વર્કશોપ યોજાયો હતો. કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડાના માર્ગદર્શનમાં આયોજિત આ કાર્યશાળામાં દેશભરના નામાંકિત વિદ્વાનોએ જનજાતીય અસ્મિતા, અસ્તિત્વ અને વિકાસના મુદ્દે ઊંડાણપૂર્વક ચર્ચાઓ કરી હતી.
