સરદાર સરોવર નર્મદા ડેમ પ્રોજેક્ટે રાજ્યના કૃષિ, પીવાના પાણી, ઊર્જા અને પર્યટન જેવા અનેક ક્ષેત્રોમાં વિકાસની નવી દિશા આપી

તા. 22 માર્ચ, વિશ્વ જળ દિવસ

હિન્દ ન્યુઝ, નર્મદા 

    સરદાર સરોવર નર્મદા ડેમનો સૌથી મહત્ત્વપૂર્ણ લાભ પીવાના પાણીની ઉપલબ્ધતા છે. આ પ્રોજેક્ટ દ્વારા ગુજરાતના લગભગ 10453 ગામ અને 190 શહેરને પીવાનું પાણી ઉપલબ્ધ થઈ રહ્યું છે. ઉપરાંત, રાજસ્થાનના 1,336 ગામ અને 3 શહેરને પણ નર્મદાનું પાણી મળે છે.

સરદાર સરોવર ડેમ વીજ ઉત્પાદન માટે પણ મહત્ત્વપૂર્ણ સ્ત્રોત છે તેમજ અહીં સ્ટેચ્યુ ઓફ યુનિટી દર વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષે છે; નર્મદા નદી, ડેમ અને આસપાસનું કુદરતી સૌંદર્ય મળીને આ વિસ્તારને આકર્ષક પર્યટન સ્થળ બનાવે છે.

‘પાણી બચાવવું એટલે ભવિષ્ય બચાવવું’ સરદાર સરોવર ડેમ આ સંદેશનું જીવંત પ્રતિક બનીને ગુજરાતના વિકાસને સતત નવી શક્તિ પૂરી પાડે છે.

Related posts

Leave a Comment