મહાકાલ સેનાનાં યુવાનો દ્રારા નર્મદા મુખ્ય કેનાલમાથી રેસ્કયું કરી નીલ ગાયને બચાવી

કાંકરેજ ,

બનાસકાંઠા કાંકરેજ વિસ્તારમાંથી નર્મદા મુખ્ય કેનાલ પસાર થાય છે ત્યારે અનેક વાર લોકો અને પશુઆેના ડુબવાના બનાવો સામે આવતા હોય છે ત્યારે આજે પણ રાણકપુર પાસે નર્મદા મુખ્ય નહેરમા નીલગાય પડી ગઈ હતી. ત્યારે આ બાબતની જાણ મહાકાલ સેનાના યુવાનોને થતા રાણકપુર મહાકાલ સેનાના યુવાનોએ તાબડતોડ કેનાલ પર પહોંચીને રેસ્કયું કરીને નીલ ગાયને હેમખેમ જીવતી બહાર કાઢીને માનવતાનું કામ કર્યુ હતુ,

ત્યારે મહાકાલ સેના અવારનવાર જીવદયા નું કામ કરી રહ્યા છે ત્યારે આવા કામોને લોકો પણ બીરદાવી રહ્યા છે.

રિપોર્ટર : કનુજી ઠાકોર, કાંકરેજ

Related posts

Leave a Comment