આહવા ખાતે યોજાશે ‘ડાંગ દરબાર’ નો ઉદ્દઘાટન કાર્યક્રમ 

આહવા

    ‘ડાંગ દરબાર’ના ઉદ્દઘાટન કાર્યક્રમ સાથે રાજવીઓની ભવ્ય શોભાયાત્રા સહિત આહવાના રંગ ઉપવન ખાતે પ્રભારી મંત્રી સહિતના મહાનુભાવો પ્રજાજોગ સંદેશો પાઠવશે.

આજે એટલે કે તા.૨૬ મી ફેબ્રુઆરી એ સવારે ૧૧ વાગ્યે આહવાના રંગ ઉપવન ખાતે રાજવીઓ સહિત મહાનુભાવોના આગમન બાદ દીપ પ્રાગટ્ય કાર્યક્રમ, પ્રાર્થના અને કલેક્ટરશ્રીનું સ્વાગત ઉદ્દ્બોધન રજુ થશે. તે સાથે મંચસ્થ મહાનુભાવોનું મોમેન્ટો આપીને સ્વાગત-અભિવાદન કરાશે.

ત્યારબાદ મહાનુભાવો તથા પ્રભારી મંત્રી પ્રજાજોગ સંદેશો પાઠવશે. આ અવસરે ડાંગીનૃત્ય સહિત રાસ ગરબા જેવી સાંસ્કૃતિક કૃતિઓ પણ આહવાના રંગમંચ ઉપર રજૂ થશે.

જિલ્લા વિકાસ અધિકારીની અભાર વિધી સાથે રાષ્ટ્રગાન બાદ ઉદ્દઘાટન કાર્યક્રમનુ સમાપન કરાશે. 

આ ‘ડાંગ દરબાર’ના ભાતિગળ લોકમેળાનો લ્હાવો તા.૨૬ મી ફેબ્રુઆરીથી તા.૩ જી માર્ચ સુધી પ્રજાજનો માણી શકશે.

Related posts

Leave a Comment