કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે સુરત રેલવે સ્ટેશનથી સુરત જિલ્લાના ૧૨૯૬ જેટલા શ્રદ્ધાળુઓની સુરત-વેરાવળ સ્પેશ્યલ ટ્રેનને ફલેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું

‘સોમનાથ સ્વાભિમાન પર્વ’

હિન્દ ન્યુઝ, સુરત

    ભારતની પ્રાચીન સંસ્કૃતિ, આધ્યાત્મિક પરંપરા અને રાષ્ટ્રીય ગૌરવનું જીવંત કેન્દ્ર એવા સોમનાથ મંદિર ખાતે આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વનો ભવ્ય પ્રારંભ થયો છે, ત્યારે હજારો શ્રદ્ધાળુઓ દેશભરમાંથી સોમનાથ દાદાના દર્શનાર્થે જઈ રહ્યા છે. આજ રોજ સુરત રેલ્વે સ્ટેશનથી સુરત અને વેરાવળની સ્પેશિયલ ટ્રેનને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે ફલેગઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

            ‘ભારત માતા કી જય, હર હર મહાદેવ, ઓમ નમઃશિવાય’ના નાદ સાથે સુરત જિલ્લાના ૧૨૯૬ જેટલા વડીલો, યુવાનો સહિતના શ્રદ્ધાળુઓ સાથેની ટ્રેનને રવાના કરાઈ હતી.

Related posts

Leave a Comment