ઉત્તરાયણ પર્વ દરમ્યાન પશુ-પક્ષીની લેવાની થતી કાળજી બાબતે જિલ્લા કલેકટર દ્વારા જાહેર જનતા માટે સંદેશ

હિન્દ ન્યુઝ, દાહોદ

    પક્ષીઓને મુક્ત ગગનમાં ઉડવાનો અને જીવવાનો અધિકાર છે તેથી તા.૧૦ જાન્યુઆરી થી તા.૨૦ જાન્યુઆરી સુધી રાજ્યના સમગ્ર વિસ્તારને આવરી લઈ “કરૂણા અભિયાન-૨૦૨૬” કાર્યક્રમનું આયોજન હાથ ધરવા સરકારએ નિર્ણય લીધેલ છે. ઉત્તરાયણ પર્વ નિમિતે દાહોદ જીલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત જીલ્લા તેમજ તાલુકા કક્ષાએ પક્ષીઓને બચાવવા માટે જુદા-જુદા પશુ સારવાર કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવેલ છે.તેમજ માહિતીની આપ- લે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ પણ શરુ કરવામાં આવેલ છે. કરુણા અભિયાન અંતર્ગત દરેક તાલુકાઓમાં સવારે ૮:૦૦ કલાકથી રાત્રીના ૮:૦૦ કલાક સુધી તમામ ઘાયલ પક્ષીઓને વિના મુલ્યે સારવાર આપવામાં આવશે. તેથી દાહોદ જિલ્લાની તમામ જનતાને જણાવવાનું કે ઉતરાયણ પર્વ દરમ્યાન આપની આસપાસ જો ઘાયલ પશુ-પક્ષી જણાય તો નજીકના પશુ સારવાર કેન્દ્રો ખાતે પહોંચતા કરવા.

પક્ષીઓ ઘાયલ થતા બચાવવા આટલું કરીએ

વહેલી સવારે તેમજ મોડી સાંજે પતંગ ઉડાડવાનું ટાળીએ.

અકસ્માતે પક્ષીઓ દોરામાં ફસાય તો દોરી ન ખેચતા ઢીલ મુકવી.

લાઉડસ્પીકર કે ફટાકડાનો ઉપયોગ ન કરવો જેથી પક્ષીઓ ભડકવાનું પ્રમાણ ઓછું રહે.

પતંગ ચગાવવા ચાઇનીઝ દોરી,પ્લાસ્ટિક દોરી અથવા વધારે કાચ પાયેલી દોરીનો ઉપયોગ કરવાનું ટાળીએ.

ઘાયલ પશુ-પક્ષીને સમયસર નજીકના પશુ સારવાર કેન્દ્રો અથવા રેસ્ક્યુ સેન્ટર ખાતે પહોચાડીએ.

સમગ્ર ઉત્તરાયણ પર્વ દરમ્યાન પશુપાલકો પોતાના પાલતુ પશુઓને બાજરી/ઘૂઘરી/જુવાર વધુ પ્રમાણમાં ન ખવડાવે જો વધારે પ્રમાણમાં પશુઓને ખવડાવવામાં આવે તો પશુઓને આફરો/ફૂડ પોઈઝનીગ થવાની સંભાવના વધી જાય જેથી પશુઓ મરણ પામે છે. તો પશુઓનું મરણ પ્રમાણ અટકાવવા બાબતે દરેક તાલુકા કક્ષાએ પ્રચાર-પ્રસાર કરવાનું પણ આયોજન કરવામાં આવેલ છે.

Related posts

Leave a Comment