રજૂઆતો-ફરિયાદોના નિવારણનો “રાજ્ય સ્વાગત” બુધવારે યોજાશે

હિન્દ ન્યુઝ, ગુજરાત

    મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો ડિસેમ્બર મહિનાનો રાજ્ય સ્વાગત તા. 24મી ડિસેમ્બર, બુધવારે યોજાશે; ડિસેમ્બર મહિનાના ચોથા ગુરુવાર તા. 25 ડિસેમ્બરે નાતાલની જાહેર રજાને અનુલક્ષીને ડિસેમ્બર-2025નો રાજ્ય સ્વાગત આ વખતે બુધવાર, તા. 24 ડિસેમ્બરે યોજવાનો નિર્ણય.

નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો બુધવાર, તા. 24મી ડિસેમ્બરેના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.

Related posts

Leave a Comment