હિન્દ ન્યુઝ, ગાંધીનગર
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે અતુલ્ય વારસો સંસ્થા દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની જાળવણી અને જનજાગૃતિના કામ સાથે સંકળાયેલા અને સંસ્કૃતિના સૈનિક તરીકે સેવારત 115 ઉપાસકોને ‘અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ’થી સન્માનિત કરાયા.
ગુજરાતની ઐતિહાસિક ધરોહરની જાળવણી માટે આપણે સૌએ આગળ આવવું પડશે, સ્વચ્છતાની જવાબદારી માત્ર સફાઈકર્મીઓની જ નહીં, આપણા સૌની : નાયબ મુખ્યમંત્રી
