વરસાદે વિરામ લેતાં વિશ્વામિત્રી નદીનું જળસ્તર ધીમે-ધીમે ઘટી રહ્યું છે

વડોદરા,

વડોદરાવાસીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર, હવે શહેર પરથી પૂરનું સંકટ ટળ્યું.

વડોદરાની વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં ઘટાડો નોંધાતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો છે. છેલ્લા બે દિવસથી વડોદરા અને તેના ઉપરવાસમાં પડેલાં વરસાદના કારણે વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો હતો.

વિશ્વામિત્રી નદીનું 23 ફૂટ કરતાં ઉપર પહોંચેલુ જળસ્તર આજે 22.5 ફૂટ કરતાં પણ નીચે આવી ગયું છે. જેને પરિણામે વડોદરા શહેર પરથી હાલ પુરતું પુરનું સંકટ ટળ્યું છે

રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, વડોદરા

Related posts

Leave a Comment