રાષ્ટ્રીય એકતા દિવસ
હિન્દ ન્યુઝ, દાહોદ
શ્રી સરદાર વલ્લભભાઇ પટેલના સન્માનમાં દર વર્ષે તા.૩૧ ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
આ દિવસ અન્વયે સમગ્ર દાહોદ જિલ્લાની વિવિધ કચેરીઓ સહિત દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે પણ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણની ઉપસ્થિતિ હેઠળ આઈ.સી.ડી.એસના કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવાના સંકલ્પને સાકાર કરવા તથા રાષ્ટ્ર પ્રત્યેની ફરજોના સ્મરણ સાથે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના શપથ લીધા હતા.
