હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટના જિલ્લા કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં જિલ્લામાં નાગરિક પુરવઠા અને સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં સામાન્ય જનતાની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.
🔸 જિલ્લામાં વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખી વાજબી ભાવની પાંચ નવી દુકાનો ખોલવા માટે મંજૂરી આપવામાં આવી.
🔸 ઉપરાંત ૨૯ દુકાનો મર્જ કરવાની દરખાસ્તને મંજૂરી આપી કાર્યક્ષમતા વધારવાનો માર્ગ મોકળો થશે.
🔸 વન નેશન વન રેશનકાર્ડ યોજના અંતર્ગત જરૂરિયાતમંદ વ્યક્તિને રાજ્ય કે રાજ્યની બહાર જ્યાં પણ રહે, ત્યાંથી જ અનાજ મળી રહેશે.
🔸 શાપર પંથકમાં રાજ્ય બહારથી આવેલા શ્રમિક પરિવારોને આ યોજના અંતર્ગત વધુ લાભ મળે તે માટે કેમ્પ યોજવામાં આવશે.
🔸 ખામટા (પડધરી) માં માત્ર એક જ દુકાન હોવાથી જનહિતમાં નવી દુકાનની માંગ મંજૂર કરીને તત્કાલ કાર્યવાહી કરવા નિર્ણય લેવાયો.
🔸 તપાસ અને ગુણવત્તાયુક્ત વિતરણ સુનિશ્ચિત કરવા કલેક્ટરએ સમયસર ચકાસણીના ખાસ આદેશો પણ આપ્યા.
📣 બેઠકમાં સાંસદ રામભાઈ મોકરિયાના માર્ગદર્શક સૂચનો તથા ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહની પ્રભાવશાળી રજૂઆતો પણ નોંધપાત્ર રહી.
આ બેઠક જિલ્લાની રાશન વ્યવસ્થા માટે મજબૂત અને લોકોને વાજબી ભાવે અનાજ મળે તેની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ છે.
