હિન્દ ન્યુઝ, અમદાવાદ
૧૨મી જૂનના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશની મોટી દુર્ઘટના સર્જાય હતી. મૃતકોના આત્માની શાંતિ અર્થે નર્સિંગ એસો. દ્વારા નવી સિવિલના કિડની બિલ્ડીંગ ખાતે કેન્ડલ સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જેમાં મેડિકલ કોલેજના ડિન ડો.જયેશ બ્રહ્મભટ્ટ, સુપ્રિટેન્ડન્ટ ડો.ધારિત્રી પરમાર, આરએમઓ ડો.કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઉપાધ્યક્ષ ઈકબાલ કડીવાલા, ટી.બી ચેસ્ટ વિભાગના વડા ડો.પારૂલ વડગામા સહિત રેસીડન્ટ તબીબો, નર્સિંગ એઓ.ના હોદ્દેદારો નર્સિંગ વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.
