આંબા પાક પરના રોગ અને જીવાત નિયંત્રણ માટે જરૂરી દવાના ઉપયોગ માટે માર્ગદર્શિકા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   બાગાયત વિભાગના સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર મેંગો, તાલાલા દ્વારા આંબા પાકની ખેતી કરતા ખેડૂત માટે ચાલુ વર્ષે વાતાવરણ આંબા પાક માટે ખૂબ જ સાનુકૂળ હોય જેથી રોગ અને જીવાતનો ઉપદ્રવ ખૂબ જ નહિવત હોય તેમ છતાં પણ આંબાવાડીમાં જોમધિયો/હોપર અને થ્રિપ્સ જોવા મળે તો દવાનો ઉપયોગ કરી શકાય છે. 

જેમાં નીમ ઓઇલ 3000 પી.પી.એમ. ૨ મિ.લી. પ્રતિ લિટર અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસ. એલ. ૦.૫. એલ. પ્રતિ લિટર અથવા થાયોમેથોક્ઝમ ૦.૫ ગ્રામ પ્રતિ લિટર મુજબ છંટકાવ કરવો તેમજ ભૂકી છારારોંગના નિયંત્રણમા ટેહેક્ઝાકોના ઝોલ ૫%,૧ એમ.એલ. પ્રતિ લિટર મુજબ અને મગિયા ઈયળના નિયંત્રણ માટે એમાંમેક ટિનબેન્જોએટ ૫%, ૦.૩ ગ્રામ પ્રતિ લિટર મુજબ છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.  

વધુ માહિતી માટે સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર મેંગો તાલાલાના સંપર્ક નં. ૦૨૮૭૭ ૨૯૬૧૨૯ Email: cemtalala@gmail.con ઉપર સંપર્ક કરી શકો છો.

Related posts

Leave a Comment