દિયોદર,
પાટણ શહેર અને જિલ્લાની અંદર કોરોના પોઝિટિવ કેસ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ત્યારે કોરોના ને રોકવા માટે સરકારી તંત્ર અને જુદીજુદી સંસ્થાઓ દ્વારા કામ ગીરી કરવામાં આવી રહી છે ત્યારે શુક્રવારના રોજ પાટણ ખાતે ખોડીયાર જવેલર્સ દ્વારા ખરીદી માટે આવતા તેમજ જરૂરિયાત મંદ લોકો ને 1000 માસ્ક વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ખોડીયાર જવેલર્સ પાટણના ભરતભાઇ જોષી( સુરાણા), વિપુલભાઈ શાહ( કંબોઈ) દ્વારા ફી આ માસ્ક નું વિતરણ કરવામાં આવેલ.
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર