સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ઉમરાળા ગામે ભીંતચિત્રો દોરી જન જાગૃતિની પ્રવૃતિ હાથ ધરવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર 

“સ્વભાવ-સ્વચ્છતા, સંસ્કાર-સ્વચ્છતા”ના ધ્યેય સાથે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લામાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ છે.

જેના ભાગરૂપે ભાવનગરના ઉમરાળા ગામે ભીંતચિત્રો દોરી જન જાગૃતિની પ્રવૃતિ હાથ ધરવામાં આવી છે જેમાં ટેક્નોલોજીનો ઉપયોગ કરો-પાણીને રિસાયકલ કરો, ઓછું પ્લાસ્ટિક વધુ સારુ સ્વાસ્થ્ય, આપણી ધરતી આપનું ભવિષ્ય- એક સાથે મળી સુંદર
બનાવીએ, એક ખાડો અનેક લાભો-પ્રદુષણમાં ઘટાડો જળ સ્તરમાં વધારો સહિતના વિવિધ ચિત્રો દોરી ભાવનગરના સૌ નાગરિકોને સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે.

Related posts

Leave a Comment