વેરાવળ ખાતે વિશ્વ દરિયાકિનારા સફાઈ દિવસ ૨૦૨૪ની ઉજવણી કરાઈ 

હિન્દ ન્યુઝ, વેરાવળ 

      વેરાવળ દરિયા કિનારે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ તેમજ વેરાવળ ફિશરીઝ કોલેજ, કામધેનુ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે વિશ્વ દરિયાકિનારા સફાઈ દિવસ ની ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમના આયોજક ડો. જીતેશ સોલંકી (ફિશરીઝ) ના માર્ગદર્શનમા ફિશરીઝ કોલેજના વિધાર્થીઓ તેમજ સ્ટાફ દ્વારા દરીયાઈ કીનારાની સાફ-સફાઈ  કરવામાં આવેલ.
    આ કાર્યક્રમને સફળ બનાવવા ફિશરીઝ કોલેજના પ્રાધ્યાપક ડો. એચ. વી. પરમાર, ડો. વીરલ બજાયણીયા, ડો. કેતન ટાંક, ડો. પ્રકાશ પરમાર વગેરે જહેમત ઉઠાવેલ હતી. ફિશરીઝ કોલેજના આચાર્ય ડો. એસ. આઈ. યુસુફઝાઈ દ્વારા વિધાર્થીઓને અભ્યાસની સાથે વિસ્તરણ કાર્ય બદલ અભિનંદન પાઠવેલ.

Related posts

Leave a Comment