૫ મી સપ્ટેમ્બર – રાષ્ટ્રીય શિક્ષક દિન 

હિન્દ ન્યુઝ, આણંદ 

શિક્ષક દિન નિમિત્તે આણંદના બાકરોલ ખાતે શિક્ષક દિન ઉજવણી સમારોહ કરાશે

       આણંદ જિલ્લામાં તા.૫ મી સપ્ટેમ્બરના રોજ “શિક્ષક દિન” નિમિત્તે વલ્લભ વિદ્યાનગરમાં આવેલ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર, બાકરોલ ખાતે રાષ્ટ્રીય શિક્ષક દિન ઉજવણી સમારોહ યોજાશે.

        ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઇ સોલંકીની અધ્યક્ષતામાં યોજાનાર આ સમારોહમાં શિક્ષણક્ષેત્રે ગૌરવરૂપ ગણાય તેવી ઉત્કૃષ્ટ સેવા માટે તાલુકા –જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક યોજના ૨૦૨૪ અંતર્ગત આણંદ જિલ્લામાંથી જે શિક્ષકઓની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે, તેવા શિક્ષકઓને પુરસ્કાર એનાયત કરવામાં આવશે તેમજ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવશે.

        આ પ્રસંગે સાંસદ મિતેષભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના તેમજ જિલ્લાના ધારાસભ્યઓ ઉપસ્થિત રહેશે.

Related posts

Leave a Comment