રાજકોટ શહેર કમિશનર ઉદિત અગ્રવાલે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ હવેથી લીફ્ટમાં બે વ્યક્તિને જ પ્રવેશ કરવાની તાકીદ કરી છે

રાજકોટ,

રાજકોટ શહેરમાં આવેલ કોમર્શીયલ અને રેસીડેન્ટ એપાર્ટમેન્ટોમાં અંદાજે ૫૦૦૦ થી ૮૦૦૦ લીસ્ટ કાર્યરત છે. એપાર્ટમેન્ટમાં ફ્લોર મુજબ લીફ્ટની સાઈઝ રાખવામાં આવે છે. જેમાં પ થી ૧૦ વ્યક્તિ પ્રવેશપાત્ર હોય છે. પરંતુ સોશિયલ ડિસ્ટન્સના નિયમ મુજબ ૨ વ્યક્તિ વચ્ચે 3 મીટરનું અંતર રાખવું જોઇએ હોય છે. આથી કોઇપણ પ્રકારની લીફ્ટમાં ફક્ત ૨ વ્યક્તી પ્રવેશી શકે તો જ નિયમોનું પાલન થાય છે. આથી મ્યુનિ. કમિશનરે હવેથી લીફ્ટમાં ૨ જ વ્યક્તિ આવન-જાવન કરી શકશે. તેવી તાકીદ કરી નિયમોનું ઉલ્લંઘન કરનાર એપાર્ટમેન્ટની લીફ્ટ સીલ કરવા સુધીના આદેશ જારી કર્યા છે. કમિશનરે જણાવેલ કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ લીફ્ટમાં ૨ વ્યક્તિને પ્રવેશવાની છુટ આપવામાં આવી છે. પરંતુ રાજકોટની મોટાભાગના બીલ્ડીંગોમાં આવેલ લીફ્ટમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાની ફરીયાદો ઉઠતા હવેથી ૨ વ્યક્તિને પ્રવેશ નિયમનું કડક પાલન કરવામાં આવશે. મનપા દ્વારા વખતોવખત એપાર્ટમેન્ટની લીફ્ટમાં સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવશે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment