રાજકોટ શહેરના ૫૦ વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત લોકમેળો નહીં યોજવાનો નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો

રાજકોટ,

રાજકોટ શહેરમાં શ્રાવણ મહિનામાં જન્માષ્ટમી પર આવતા લોકમેળા આ વર્ષે નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં લોકમેળાનું આગવું મહત્વ છે. શ્રાવણ મહિનામાં ૫ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં ૫ દિવસમાં ૧૦ લાખ લોકો મેળાની મુલાકાત લેતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન ત્યાં જેટલા મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. લોકમેળા ૫ દિવસ જ્યારે ખાનગી મેળા ૨૦ દિવસ સુધી ચાલુ હોય છે. કોરોના વાયરસના વધી રહેલા કેસને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મેળામાં એક જગ્યાએ વધારે લોકો એકઠા થતાં હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શકાતું નથી. આ સાથે જ મેળામાં કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિ આવે તો તેનાથી અનેક લોકોને ચેપ પ્રસરી શકે છે. આથી કલેક્ટર તરફથી આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.*

રિપોર્ટર. દિલીપ પરમાર, રાજકોટ

 

Related posts

Leave a Comment