હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર પોલીસ મહાનિરીક્ષકની નવી કચેરીનું તા.૦૯/૦૩/૨૦૨૪ ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું છે.
જેથી આ કચેરી એસ.બી.આઈ બેન્કની બાજુમાં કાળનાળા સર્કલ, ભાવનગર ખાતે કાર્યરત કરવામાં આવી હોવાથી હવે પછી તમામ કચેરીઓને અને જાહેરજનતાઓને જાણ થવાની સાથે આ કચેરીના તમામ પત્રવ્યવહાર તેમજ અન્ય કામગીરી ઉક્ત સરનામે કરવાની રહેશે તેમ, પોલીસ મહાનિરીક્ષકની કચેરીના ઈન્ચાર્જ અધિક્ષક ડી. ટી. ચૌહાણની અખબારી યાદીમાં જણાવાયું છે.