જામનગરની શ્રી વી.એમ.મહેતા કોલેજમાં મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, જામનગર 

   જામનગર મહાનગરપાલિકા સંચાલિત શ્રી વી.એમ.મહેતા મ્યુનિ. આર્ટ્સ & કોમર્સ કોલેજ દ્વારા SVEEP અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં કોલેજમાં અભ્યાસ કરતાં મતદારોમાં મતદાન જાગૃતિ લાવવા માટે વિદ્યાર્થીઓએ એકપાત્રિય અભિનયો રજૂ કર્યા હતા. વિદ્યાર્થીઓએ પોતાના અભિનય દ્વારા મતદારોને પોતાનો કિંમતી મત આપવા માટે અપીલ કરી હતી અને પોતાના મતાધિકારોથી માહિતગાર કર્યા હતા.

સમગ્ર કાર્યક્રમ સંસ્થાના આચાર્ય ડૉ. જી. બી. સિંહના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ.ભારતીબેન સોલંકી તથા ડૉ. દર્શિતાબેન દવેએ તથા આભારદર્શન ડૉ.ભાવનાબેન ગરેજાએ કર્યું હતું.

 

 

 

 

Related posts

Leave a Comment