સંતરામપુર 123 વિધાનસભામાં મત વિસ્તાર ડીટવાસ જિલ્લા પંચાયતનાં જનસંપક કાર્યક્રમ કરવાઇ ખાતે યોજયો

હિન્દ ન્યુઝ, મહીસાગર 

    શિક્ષણ મંત્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોર અને દાહોદ લોકસભા ઉમેદવાર જશવંતસિંહ ભાભોર પોતાના મતવિસ્તારમાં. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે જેને લઈને 123 સંતરામપુ વિધાનસભા મત વિસ્તારમાં ડીટવાસ જિલ્લા પંચાયત ખાતે જન સંપર્ક કાર્યકર્મ યોજવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત રહી ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું. આ બેઠકમાં ઉપસ્થિત કાર્યકર્તાઓ દ્વારા દાહોદ લોકસભા સીટની 5 લાખથી વધુ મતોથી ભવ્યાતિભવ્ય જીત થાય એ માટે કટીબદ્ધ છે.

ડીટવાસ જિલ્લા પંચાયત સીટની લોકસભા-2024 ની ચૂંટણીને અનુલક્ષીનેઆ બેઠકમા જિલ્લા પંચાયતના પ્રમુખ બાબુભાઈ પટેલ,જિલ્લા સંગઠન પ્રમુખ દશરથ બારીયા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોર, જિલ્લા ઉપ પ્રમુખ ભગવંતસિંહ બાપુ અને અંબાલાલભાઈ પટેલ, સહ પ્રભારી ચંદ્રેશભાઈ ત્રિવેદી, વિધાનસભા ઇન્ચાર્જ APMC ના ચેરમેન શાંતિભાઈ પટેલ, કડાણા તાલુકા પંચાયતના પ્રમુખ મંગુબેન સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

રિપોર્ટર : જયેશ ડામોર, મહીસાગર

Related posts

Leave a Comment