વેરાવળ નાં ધારાશાસ્ત્રી ઉષાબેન કુસકીયા એ પોતાના જન્મદિવસની કરી અનોખી ઉજવણી

હિન્દ ન્યુઝ, વેરાવળ

         ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ બાયપાસ પાસે આવેલ હુડકો સોસાયટીમાં “સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – ગીર સોમનાથ” નાં દિવ્યાંગ બાળકોનો આશ્રમ આવેલ છે. આ આશ્રમમાં ધારાશાસ્ત્રી ઉષાબેન કુસકીયા નાં જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગ બાળકોને ભોજન તેમજ મીઠાઈ ખવડાવી જન્મદિવસની અનોખી ઉજવણી કરેલ.

આ યાદગાર પળો ને વધુમાં જણાવતા કહ્યું કે, દિવ્યાંગ બાળકો સાથે બેસી અને તેની સાથે માસુમ અને લાગણી સભર પળો વિતાવી અતિ આનંદ મળેલ જેને શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે. જેને આજીવન ભૂલી શકાય તેમ નથી. આ દિવ્યાંગ બાળકોમાં એક બાળક રવિ વિંઝુડા એ કહ્યું કે “હું કલાકાર છું અને જીગ્નેશભાઈ બારોટનો ભાણેજ છુ મને ગીત ગાતા આવડે છે….” અને તેને પ્રોત્સાહિત કરતા તેમણે ત્રણ-ચાર ગીતો ગાયા. અને સમગ્ર મહિલા ટીમ એ આ બાળક ને તાળીઓના ગડગડાટ થી વધાવેલ તેની માસુમિયત અને ભોળપણ જોઈને બધી બહેનોની આંખમાં આંસુ છલકાઈ ગયેલ.

    ખરેખર “સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ – ગીર સોમનાથ” દ્વારા આવા માનસિક વિકલાંગ બાળકોને આશરો આપી ને ખુબજ ઉમદા અને મહાન કાર્યો કરવામાં આવે છે. આ આશ્રમનાં સંચાલક રવિભાઈ ખાવડી દ્વારા ઉષાબેન કુસકીયા તેમજ સર્વે મહિલા ટીમ ને માન પૂર્વક આવકાર આપેલ તેમજ આશ્રમ ના સ્ટાફ દ્વારા ખુબજ સરસ રીતે બાળકોની સેવા કરવામાં આવે છે.

       ઉષાબેન કુસકીયા દ્વારા તમામ લોકોને નમ્ર વિનંતી કરેલ છે કે, આ દિવ્યાંગ બાળકો માટે “ફૂલ નહિ તો ફૂલની પાંખડી” રૂપી શક્ય હોઈ તે પ્રમાણે જે પણ થઇ શકે તે કે કરો અને આ દિવ્યાંગ આશ્રમ ની અવશ્ય મુલાકાત લો.

       ઉષાબેન કુસકીયા ની જન્મદિવસ ની અનોખી ઉજવણીમાં મહિલા મોરચાની બહેનો જિજ્ઞાસાબેન રાવલ, મિતલબેન પંડીયા, આરતીબેન વણિક, ભાવનાબેન ગૌસ્વામી, હેતલબેન દેવમુરારી અને ધાર્મીબેન લાડવા વગેરે ઉપસ્થિત રહ્યા.

Related posts

Leave a Comment