આર્મી ભરતી કાર્યાલય જામનગર દ્વારા આર્મી ભરતી મેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર 

    ભારતીય લશ્કરમાં ઉજ્જવળ અને ગૌરવશીલ કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે જામનગર આર્મી ભરતી કાર્યાલય દ્વારા આગામી માસમાં આર્મી ભરતીમેળાનું આયોજન કરવામાં આવનાર છે. આ લશ્કરી ભરતી મેળામાં અગ્નીવીર સોલ્જર જનરલ ડ્યુટી(ALL ARMS) અગ્નીવીર સોલ્જર ટ્રેડમેન તમામ ટ્રેડ(ALL ARMS),અગ્નીવીર સોલ્જર ટેકનીકલ (ALL ARMS), તેમજ અગ્નીવીર સોલ્જર ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનીકલ (ALL ARMS) ની કક્ષા પર ભરતી યોજાવાની છે. આ ભરતી રેલીમાં ભાગ લેવા માંગતા ફક્ત અપરણિત પુરુષ ૧૭.૫ થી ૨૧ વર્ષના ઉમેદવારે https://www.joinindianarmy.nic.in વેબસાઈટ પર તારીખ ૨૨/૦૩/૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. જેમાં પ્રથમ ઓનલાઈન કોમ્પ્યુટર લેખિત પરીક્ષા આપવાની રેહશે. વધુ માહિતી માટે આર્મી ભરતી કાર્યાલય જામનગર (૦૨૮૮) ૨૫૫૦૭૩૪, ૮૮૬૬૯૭૬૧૭૭ અથવા રોજગાર કચેરીના હેલ્પલાઈન નંબર ૦૨૮૮-૨૫૬૪૬૫૪ પર સંપર્ક કરવાં મદદનીશ નિયામક રોજગાર, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

Related posts

Leave a Comment