ગીર સોમનાથ જિલ્‍લામાં જૂના વાહનોની લે-વેચ તથા ભાડે આપતા વેપારીઓએ રજીસ્‍ટર નિભાવવું ફરજીયાત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ 

      ગીર સોમનાથ જિલ્લામાં બહારના રાજ્યોમાંથી તેમજ દેશ બહારથી આવતા અસામાજિક તત્વો રજિસ્ટર્ડ ન થતા હોય તેવા સાયકલ/ મોપેડ/ અન્ય વાહનો ખરીદી/ લે-વેચ અથવા ભાડેથી મેળવી સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર થઈ ત્રાસવાદી પ્રવૃતિઓને અંજામ આપતા હોય છે. જેથી રજીસ્ટર્ડ ન થતા હોય તેવા સાયકલ/મોપેડ/અન્ય વાહનોનું વેચાણ કરનાર તથા આવા જૂના વાહનોની લે–વેચ કરનાર તથા આવા વાહનો ભાડે આપનાર વેપારીઓ ઉપર નિયંત્રણો મુકવા જરૂરી જણાતાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી આર.જી.આલ દ્વારા જાહેરનામું બહાર પાડી ગીર સોમનાથમાં આધાર પુરાવાઓ વગરના વાહનોની લે વેચ અને ભાડે આપવા પર પ્રતિબંધ મૂક્યો છે.

આ જાહેરનામા અનુસાર જિલ્લાના વિસ્તારમાં રજીસ્ટર્ડ ન થતા હોય તેવા વાહનો ભાડે આપનાર વેપારીઓ જયારે—જયારે આવા નવા/જૂના વાહનોની લે-વેચ કરે કે આવા વાહનો ભાડે આપે ત્યારે જે તે વ્યક્તિને આવું વાહન વેચાણ કરેલ હોય, આવુ વાહન ખરીદેલ હોય અથવા તો જે વ્યકિતને ભાડે આપેલ હોય તેવી વ્યકિત પાસેથી માહિતી આધાર પુરાવા તેમજ ઓળખ મેળવીને નીચેના નમુના પ્રમાણેના રજીસ્ટર્ડની નિભાવણી કરવાની રહેશે. તેમજ જરૂરી જણાયે સક્ષમ અધિકારી માંગે ત્યારે તેઓને વિગતો પુરી પાડવાની રહેશે.

આ હુકમ તા. ૧૩/૨/૨૦૨૪થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત  શિક્ષાને પાત્ર થશે.

Related posts

Leave a Comment