આઇટીઆઇ જામનગર ખાતે તા.12 ફેબ્રુઆરીએ રોજગાર ભરતી મેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, જામનગર 

    ઓદ્યોગિક તાલીમ સંસ્થા જામનગર દ્વારા તા.૧૨ ફેબ્રુઆરીના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતીમેળામાં મોટી સંખ્યામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ હાજર રહી સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરશે. ભરતીમેળામાં હાજર રહેવા માંગતા ઉમેદવારોએ તા.૧૨ના રોજ આઇટીઆઈના સેમિનાર હૉલ ખાતે સવારે ૧૦:૩૦ કલાકે બાયોડેટા, શૈક્ષણિક તેમજ અનુભવની લાયકાત અંગેના પ્રમાણપત્રોની નકલ તેમજ ફોટોગ્રાફ સાથે હાજર રહેવા ઓદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

Related posts

Leave a Comment