સુત્રાપાડા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

જિલ્લા વહીવટીમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાના પ્રત્યેકની વ્યક્તિગત રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તેવા શુભહેતુસર સેવા સેતુ કાર્યક્રમના નવમાં તબક્કા અંતર્ગત સુત્રાપાડા નગરપાલિકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ વિવેકાનંદ વિનય મંદિર હાઈસ્કૂલ સુત્રાપાડા ખાતે યોજાયો હતો.

વેરાવળના પ્રાંત અધિકારી કે.વી.બાટી તેમજ પૂર્વ મંત્રી જશાભાઈ બારડની ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં લોકોની હાજરી સાથે આ સેવાસેતુ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ તકે પ્રાંતઅધિકારીએ વધુમાં વધુ લોકોને સરકારની સેવાનો લાભ લેવા અપીલ કરી હતી.

Related posts

Leave a Comment