રાધનપુર પિંડારિયા હોલ ખાતે આમ આદમી પાર્ટી ની રોજગાર ગેરંટી યાત્રા

હિન્દ ન્યુઝ, પાટણ 

રાધનપુર ખાતે રોજગાર ગેરંટી યાત્રા દ્વારા યુવાન સાથે સંવાદ કર્યો સાથે સાથે મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ની મીટીંગ યોજાઇ

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજરોજ પિંડારિયા હોલ ખાતે આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજ સિંહ જાડેજા દ્વારા રાધનપુર ખાતે રોજગાર ગેરંટી યાત્રા દ્વારા યુવાન સાથે સંવાદ કર્યો સાથે સાથે ખૂબ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ની મીટીંગ યોજાઇ આવનારી 2022 ની રાધનપુર વિધાનસભા ચૂંટણી મા 16 રાધનપુર માં આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ને વિજય બનાવવા માટે અપીલ સાથે સાથે રાધનપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં આપના યુવા નેતા યુવરાજ સિંહ જાડેજા એ હાજરી આપી હતી. ભાજપ કોંગ્રેસ ઉપર વિશ્વાસ રાખવાની જરૂર નથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ને મદદ કરે કેજરીવાલે આપેલા વચનો આમ આદમી પાર્ટી પુરી કરશે યુવરાજસિંહ જાડેજા એ રાધનપુર માં આમ આદમી પાર્ટીના યુવા રોજગાર ગેરંટી યાત્રા સંમેલન યોજાયું હતું.

રાધનપુર ખાતે આવેલ પિંડારિયા હોલ ખાતે આજ રોજ આમ આદમી પાર્ટી ની યુવા રોજગાર યાત્રા આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. યુવાનો ને રાજકારણ માં આવવા માટે યુવારાજસિહ એ અપીલ કરી દરેક સેન્ટર ની અંદર મારી ટીમ છે જણાવ્યું હતું. ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. લાલજીભાઈ ઠાકોર નરેશજી ઠાકોર મહેશદાન ગઠવી મહિલા મોરચા ની બેહનો સહિત ના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : અનિલ રામાનુજ, રાધનપુર

Related posts

Leave a Comment