હિન્દ ન્યુઝ, ભાવનગર
કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નાં રથો ગામે ગામ ફરી રહ્યાં છે.
જેમાં આવતીકાલે તા. ૧૩/૦૧/૨૦૨૪ નાં તળાજા તાલુકામાં ગઢુલા, સખવદર, બપાસરા અને ધારડી મહુવા તાલુકામાં મોટા ખુંટવડા તેમજ જેસર તાલુકામાં ચિરોડા અને છાપરીયાળી ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના ભ્રમણ કરશે.
