હિન્દ ન્યુઝ, ભાવનગર
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની રીજિઓનલ ઓફીસ, ભાવનગર દ્વારા સી.એસ.આર. ફંડ અને વેલફેર સ્કિમ હેઠળ તા.૦૯ જાન્યુઆરીના રોજ ડૉ. આંબેડકર કન્યા છાત્રાલય અને સમરસ કન્યા છાત્રાલય, ભાવનગર ખાતે એસ.બી.આઈ. રીજીઓનલ ઓફીસના એ.જી.એમ. શ્રી માતા પ્રસાદ, મેનેજર – અનંત સુથાર, ડે.મેનેજર-મહેન્દ્ર જરદોશ, ડે.મેનેજર-નિરવ ધનગર અને નાયબ નિયામક(અજા) અને અધ્યક્ષ સમરસ છાત્રાલય- કે.એફ. મકવાણા તેમજ સમરસ છાત્રાલયના સમાજ કલ્યાણ અધિકારી વી.સી.વસાણી, સુ એમ.કે.રાઠોડ, મ.સ.ક.અ શ્રીમતી પાયલબા સરવૈયા. તેમજ છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી છાત્રાઓની ઉપસ્થિતમાં છાત્રાઓને રીયુઝેબલ સેનેટરી નેપકીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.