ગીર-સોમનાથ જિલ્લા અધિક કલેકટર બી.વી લીંબાસીયાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ઈણાજ ખાતે સૂર્યનમસ્કાર કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

ગીર-સોમનાથ જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા આયોજિત તા. ૧લી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ યોજાનાર સૂર્ય નમસ્કાર કાર્યક્રમના આયોજન અંતર્ગત અધિક જિલ્લા કલેક્ટર બી.વી.લીંબાસિયાના અધ્યક્ષ સ્થાને સંબંધિત વિભાગ અધિકારીઓ સાથે કલેક્ટર કચેરી ઈણાજ ખાતે મિટીંગ યોજાઈ હતી.

અધિક કલેક્ટર એ જણાવ્યુ હતુ કે સુર્ય નમસ્કાર કાર્યક્રમના આયોજન મુજબ લોકોને સહભાગી કરવા તેમજ વિવિધ વ્યવસ્થાઓ કરવા સુચનો કરવામાં આવ્યા હતા અને સુર્ય નમસ્કાર કાર્યક્રમના સુચારુ આયોજન અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.યુવા વિકાસ અધિકારી હરેશ મકવાણા જણાવ્યુ હતુ કે જિલ્લામાં સુર્ય નમસ્કાર ૧ જાન્યુઆરીના સવારે ૭.૩૦ કલાકે પથિકાશ્રમ સોમનાથ ખાતે, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ અને નગરપાલિકા ગ્રાઉન્ડ કોડીનાર ખાતે સવારે ૭.૩૦ કલાકે યોજવામાં આવશે તેમજ વધુમાં તેમણે આયોજન અંતર્ગત માહિતી આપી હતી.

આ બેઠકમાં પોલીસ વિભાગમાંથી જિલ્લા રમત ગમત અધિકારી વિશાલ દિહોરા, શિક્ષણ વિભાગમાંથી વિપુલભાઈ ખાંભલા, સંસ્કૃત યુનિવર્સિટીના પ્રોફેસર જયેશભાઈ મુંગરા સહિતના સંબંધિત વિભાગ અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment