હિન્દ ન્યુઝ, ભાવનગર
ગુજરાત રાજ્યનાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે ભાવનગર જિલ્લાનાં ગારિયાધાર તાલુકાનાં પરવડીમાં આયોજિત પ્રાકૃતિક કૃષિ શિબિર સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ગારિયાધાર હેલિપેડ ખાતે કેન્દ્રીય પશુપાલન મંત્રી પરષોત્તમ રુપાલા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓએ અને અન્ય મહાનુભાવોએ તેમનું ભાવભર્યું સ્વાગત કર્યુ હતુ.
રાજ્યપાલનાં સ્વાગતમાં કલેકટર આર.કે.મહેતા, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ, પાલિતાણાના પ્રાંત અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, આગેવાન પ્રવીણભાઈ ખેની સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.