ગીર સોમનાથ ખાતે શ્રી અરવિંદ ઘોષની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી, ગીર સોમનાથ સંચાલિત શ્રી અરવિંદ ઘોષ ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે શ્રી અરવિંદ ઘોષનાં જીવન કવન પર આધારીત વકતૃત્વ, નિબંધ અને ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.

આ સ્પર્ધાનું આયોજન બે વિભાગમાં કરવામાં આવશે. જેમાં “અ” વિભાગ ૧૫ થી ૧૯ વર્ષ તથા “બ” વિભાગ ૧૯ વર્ષથી ઉપરનાં અને ૩૫ વર્ષ સુધીના આવશે. નિબંધ, ચિત્ર તથા વકતૃત્વ સ્પર્ધાનો વિષય “શ્રી અરવિંદ ઘોષનું જીવન કવન” રહેશે. સ્પર્ધાની તારીખ તથા સ્થળ હવે પછી જાહેર કરવામાં આવશે. જિલ્લા કક્ષાએ પ્રથમ વિજેતા રાજય કક્ષાએ ભાગ લેવા જશે તથા રાજય કક્ષાએ પ્રથમ ૧૦ સ્પર્ધકોને વિના મૂલ્યે પોંડીચેરી ખાતેના શ્રી અરવિંદો આશ્રમની મુલાકાતે સરકાર નાં ખર્ચે લઈ જવામાં આવશે.

આ સ્પર્ધામાં અરજી કરવા માટે સાદા કાગળમાં સ્પર્ધકનું નામ, સરનામું, મોબાઈલ નંબર, જન્મ તારીખ, સ્પર્ધાનું નામ, સ્પર્ધાનો વિભાગ, સ્કુલ-કોલેજનું નામ અને સરનામું વગેરે વિગતો લખી સ્પર્ધકનું આધાર કાર્ડ સાથે જોડી તા.૧૦/૦૧/૨૦૨૩ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત કચેરી, બીજો માળ, રૂમ નં.૩૧૩-૩૧૪, ઈણાજ, તા.વેરાવળ, જિ. ગીર સોમનાથ ખાતે મોકલી આપવાની રહેશે. તા.૧૦/૦૧/૨૦૨૩ તારીખ બાદ આવનાર ફોર્મ તથા અધૂરી વિગતો વાળા ફોર્મ સ્વીકારવામાં નહીં આવે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીની એક યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment