હિન્દ ન્યુઝ, જામનગર
લાલપુર તાલુકાના મોટી વેરાવળ તથા વડ પાંચસરા ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંવાદને લાભાર્થીઓએ વર્ચુઅલ માધ્યમથી સાંભાળ્યો હતો.વિકસિત ભારત સંકલ્પ યાત્રા મોટી વેરાવળ તથા વડ પાંચસરા ખાતે આવી પહોંચતા ગ્રામજનોએ હરખભેર રથનું સ્વાગત કર્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણની યોજનાઓનો લાભ અંતિમ વ્યકિત સુધી પહોંચાડવાના હેતુથી આયોજિત કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં ગ્રામજનો સહભાગી થયા હતા.આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ સહિતના મહાનુભાવોએ લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરી નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓના લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ નંદાણીયા, પ્રાંત અધિકારી અસવાર, જિલ્લા મહિલા અને બાળ ક્લ્યાણ અધિકારી ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી પંકજ મહેતા, આગેવાન સર્વ વિનોદભાઇ, અરશીભાઇ, કરશનભાઇ, જનપ્રતિનિધિઓ, સરપંચ સહિત ગ્રામજનો, હોદેદારો સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.