શિહોર સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તા. ૨૮ ડિસેમ્બરના ક્લોનલ નીલગીરી રોપાઓની જાહેર હરાજી કરાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

સામાજિક વનીરણ વિભાગ બોટાદ હસ્તકના ક્લોનલ નીલગીરી રોપાઓની જાહેર હરરાજી તા.૨૮/૧૨/૨૦૨૩ ના રોજ ૧૧:૦૦ કલાકે પરીક્ષેત્ર વન અધિકારીની કચેરી, સામાજીક વનીકરણ રેન્જ, શિહોર હોટલ વિજય પેલેસ સામે, ભાવનગર રાજકોટ રોડ, શિહોર ખાતે રાખેલ છે.

જેમાં ક્લોનલ નીલગીરી- ૪૧૩(આઈટીસી) રોપાની જાત વળાવડ નર્સરી, મોટા સુરકા બસ સ્ટેન્ડની સામે, તા.શિહોર જી.ભાવનગર ખાતેના સ્થળેથી રોપા વિતરણ રહેશે.

આ હરરાજીમાં ભાગ લેવા ઈચ્છતા હોય, તેઓએ હરરાજી સમય પહેલા હાજર રહી રૂ.૧૦૦૦૦/- ડીપોઝીટ રોકડા કે નાયબ વન સંરક્ષક, સામાજીક વનીકરણ વિભાગ, બોટાદ નામનો ડીમાન્ડ ડ્રાફ્ટ રજુ કરવાનો રહેશે. માંગણી મંજુર થયે ૨૫% રકમ સ્થળ ઉપર ભરવાની રહેશે. બાકીની રકમ હરરાજીમાં મંજુર થયેથી દિવસ-૭ માં ભરવાની રહેશે તેમ રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરીની યાદીમાં જણાવાયું છે.

 

 

 

Related posts

Leave a Comment