હિન્દ ન્યુઝ, ભાવનગર
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત છેવાડાના ગામોમાં વિકસિત ભારત રથ જઈ રહ્યો છે ત્યારે સ્થળ ઉપર જ વિવિધ સ્ટોલ દ્વારા સરકારની વિવિધ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન તથા યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે.
ત્યારે શ્રી ખરેડ પ્રાથમિક શાળામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી શ્રીમતી ભાવુબેન અશોકભાઈ શિયાળને આયુષ્માન કાર્ડ સ્થળ ઉપર જ ઉપલબ્ધ કરાયું. આયુષ્માન કાર્ડ થકી વર્ષમાં એક વાર કોઈ પણ ગંભીર બીમારીની ૧૦ લાખ સુધીની નિઃશુલ્ક સહાય આપવામાં આવશે.
સ્થળ પર જ છેવાડાના માનવી સુધી સરકાર પહોંચીને સહાય આપી રહી છે તે બદલ શિયાળ ભાવુબેન અશોકભાઈ સરકારનો આભાર વ્યક્ત કરે છે.