પાલિતાણા તાલુકાના માયધાર ગામે રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર 

સમગ્ર રાજ્યની સાથે ભાવનગર જિલ્લામાં અવિરત ચાલે રહેલ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” પાલીતાણા તાલુકાના માયધાર ગામે આવી પહોંચતા રથનું સ્વાગત કરાયું હતું.

આ યાત્રા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ૧૭ જેટલી જન કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી શકાય તે હેતુસર ચાલી રહી છે. 

જેમાં પાલિતાણા તાલુકાના માયધાર ગામે રથ આવતા લોકો દ્વારા સ્વાગત સત્કાર કરવામાં આવ્યું હતું. સાથે સાથે ગામમાં વિવિધ ક્ષેત્રે પ્રસિદ્ધિ મેળવેલા લોકોનું સન્માન અને વિકસિત ભારત માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો.

Related posts

Leave a Comment