હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
સમગ્ર રાજ્યમાં મતદારયાદી સુધારણા ઝુંબેશ ચાલી રહી છે તે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તમામ મતદાન મથકોએ તા.૦૩ અને ૯ ડિસેમ્બરના રોજ ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાવાનો છે.
જિલ્લાના તમામ મતદાન મથકોએ મતદારયાદીને ક્ષતિરહિત બનાવવા તથા નવા મતદારોને સમયસર મતાધિકાર મળે તેવા આશયથી તા.૩ અને ૯ ડિસેમ્બરના રોજ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં આયોજન કરવામાં આવ્યુ છે.