રાજકોટ શહેર નિવૃત્ત જેલ અધિક્ષક અરુણકુમાર.આર.વ્યાસ નું અવસાન થયેલ છે

રાજકોટ,

તા.૨.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના નિવૃત્ત જેલ અધિક્ષક અરુણકુમાર.આર.વ્યાસ એક કડક, કાબેલ, શિસ્ત પાલનના ચુસ્ત આગ્રહી જેલ અધિકારી તરીકે ની છાપ ધરાવતા હતા. તેઓની કડક કામગીરીના કારણે તેઓ ઊપર માથાભારે અને અસામાજિક તત્વોને હંમેશા ખૂંચતા હતા. વ્યાસની અસરકારક કામગીરી ધ્યાનમાં રાખીને રાજકોટ ની જાણીતી સંસ્થા “દિકરાનું ઘરʼʼ દ્વારા દિપચંદ ગારડી એવોર્ડ થી તત્કાલીન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ની ઉપસ્થિતી માં એનાયત થયેલ હતો. ગુજરાતમાં મહત્વના શહેરોમાં જેલ અધિક્ષક તરીકે અમદાવાદ, રાજકોટ, વડોદરા, પોરબંદર, અમરેલી, ગોંડલ સહિતના સ્થાનો ઉપર જેલ અધિક્ષક તરીકે અસરકારક પ્રામાણિક અને કડક રીતે ફરજ બજાવનાર અને ખુંખાર કેદીઓને કાયદાની ભાષામાં જ સમજાવવામાં કાબેલ એવા નિવૃત્ત જેલ અધિક્ષક અરુણકુમાર.આર.વ્યાસ નું આજે વહેલી સવારે અવસાન થયેલ છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment