વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તા. ૩૦ નવેમ્બરના રોજ દેશભરમાં ઓનલાઇન સંવાદ કરશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

     ભારત સરકાર દ્વારા છેવાડાના લોકો સુધી કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા ભાવનગર જિલ્લામાં ‘વિકસીત ભારત સંકલ્પ યાત્રા’ ફરી રહી છે. ત્યારે આ “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દભાઈ મોદીના સંવાદનો કાર્યક્રમ તા. ૩૦/૧૧/૨૦૨૩ ના રોજ યોજાશે 

જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતનાં નક્કી કરાયેલ ગામોમાં ‘વિકસીત ભારત સંકલ્પ યાત્રા’ દરમ્યાન તા. ૩૦ ના સવારે ૧૧ વાગ્યે લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે.  

આ સંવાદનું જીવંત પ્રસારણ https://pmindiawebcast.nic.in પર નિહાળી શકાશે.

Related posts

Leave a Comment