ભાવનગર જિલ્લાના વિવિધ ગામડાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા તા. ૨૯ નવેમ્બરના રોજ ફરશે

વિકસિત ભારત સંકલ્પ યાત્રા

હિન્દ ન્યુઝ, ભાવનગર 

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજન સુધી પહોચે તેવા આશયથી ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં છ જેટલા રથો ફરનાર છે. 

જેમાં આવતીકાલે તા.૩૦/૧૧/૨૦૨૩ નાં મહુવા તાલુકાનાં વિસાવદર અને ગઢાળી, પાલિતાણા તાલુકામાં ભુતિયા અને અનિડા(લાખાવડ), શિહોર તાલુકામાં ઘાંઘળી અને ભાણગઢ, ભાવનગર તાલુકાનાં અધેળાઇ અને જસવંતપુર, વલ્લભીપુર તાલુકામાં મેલાણા અને દુદાધાર, તળાજા તાલુકામાં ઉંચડી અને મંગેળા ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના રથ ફરશે.

આ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર તાલુકાનાં અધેળાઇ ગામ ખાતે ભાવનગર પૂર્વનાં ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા, પાલિતાણા તાલુકાનાં ભુતિયા ગામ ખાતે પાલિતાણાનાં ધારાસભ્ય ભીખાભાઇ બારૈયા, તળાજા તાલુકાનાં ઉંચડી ગામ ખાતે તળાજાનાં ધારાસભ્ય ગૌતમભાઇ ચૌહાણ અને મહુવા તાલુકાનાં વિસાવદર ગામ ખાતે મહુવાનાં ધારાસભ્ય શિવાભાઇ ગોહિલ તેમજ અન્ય તાલુકાઓમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં યાત્રા યોજાશે.

Related posts

Leave a Comment