જોડિયા તાલુકાના ખીરી ગામે તા.05.07.2020 ને રવિવારના રોજ શ્રી રામ આશ્રમ ખાતે ગુરૂ પૂર્ણિમાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે

જોડિયા,

જોડિયા તાલુકાના ખીરી ગામે શ્રી રામ સેવા આશ્રમ ખીરી ખાતે શ્રી હનુમાનજી ના મંદિરે દર વર્ષે ગુરુપૂર્ણિમા ના દિવસે ગુરૂ પૂજન નો કાર્યક્રમ યોજવામાં આવતો હતો. તે કાર્યક્રમ આ વખતે સમગ્ર વિશ્વમાં અને ભારત દેશમાં અને ગુજરાત રાજ્ય માં તેમજ સૌરાષ્ટ્રમાં હાલમાં કોરોના વાઇરસ ની ભયંકર મહામારી ને લઈ શ્રી રામ સેવા આશ્રમ ખીરી ના મહંત દ્વારા આ વખતે ગુરુપૂર્ણિમા ના દિવસે ગુરૂ પૂજન નો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.

તો દરેક ભક્તજનો ને અમારી વિનંતી છે કે ગુરુપૂર્ણિમા ના દિવસે મદિર ખાતે કોઈ પણ કાર્યક્રમો યોજાશે નહીં. માટે ખાસ ધ્યાન રાખવું. શ્રી રામસેવા આશ્રમ ના મહંત દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

 

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા 

Related posts

Leave a Comment