ગીર-સોમનાથ જિલ્લામાં “કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂતોને સંદેશ”

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ

     હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૨૫.૧૧.૨૦૨૩ થી તા. ૨૭.૧૧.૨૦૨૩ દરમિયાન ગુજરાતના જિલ્લાઓ જેવા કે બાનાસકાંઠા, પાટણ, ડાંગ, નવસારી, વલસાડ, અને તાપી તેમજ સોરાસ્ટ્ર તેમજ કચ્છ વિસ્તારના જિલ્લાઓ જેવા કે રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લાઓમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી થયેલ છે.

જેમા આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડુતોને સંદેશ આપવામાં આવે છે.જેમા કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રી થી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલા ની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું તેમજ જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો તેમજ ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા.અને એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરવામાં આવે છે. એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવા.

તદુપરાંત આ અંગે વધુ જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી /તાલુકા અમલીકરણ અધિકારી / મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવો.

Related posts

Leave a Comment