ગઢડા તાલુકાના ઢસા જં તેમજ આજુબાજુ ના ગ્રામ્ય ના લોકો ને ખાસ જાણ કરવામાં આવે છે કે જણાવેલ દિવસોએ બઝાર બંધ રહેશે

ગઢડા,

ઢસા જં તેમજ આજુબાજુ ગામો ની જાહેર જનતા ને જાણ કરવામાં આવે છે કે ઢસા જં ને લાગીને આવેલ નારાયણ નગર ગામે તાજેતર માં કોરોના ના સંક્ર્મણ ને અટકાવવા માટે ઢસા ગ્રામ પંચાયત અને ઢસા વેપારી એસોસીએશન દ્વારા નીચે આ મુજબ જણાવેલ તારીખ અને વાર ના રોજ ઢસા જં ની તમામ બઝારો બંધ રહેશે. દવાખાના મેડિકલ, દૂધ ની દુકાનો ખુલ્લી રહેશે એ સિવાય ની દુકાનો સજ્જડ બંધ રાખવાનું નક્કી કરવામાં આવેલ છે. જેની દરેક લોકોએ નોંધ લેવા અને સહકાર આપવા વિનંતી છે. તા. 5-07-2020 રવિવાર અષાઢ પૂનમ 20-07-2020 સોમવાર અષાઢ અમાસ 3-08-2020 શ્રાવણ પૂનમ 18-8-2020 મંગળવાર શ્રાવણ અમાસ 2-9-2020 ભાદરવા પૂનમ 17-09-2020 ગુરુવાર ભાદરવા અમાસ આ રોજ દરેક લોકો ને ખાસ જાણ કરવી.

રિપોર્ટર : આસિફ રાવાણી, ઢસા

Related posts

Leave a Comment